નર્મદા: હાલમાં જ ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સીંગલગભાણ ગામે ગાજવીજ સાથે વધુ વરસાદ થતાં ગામના અલગ અલગ ખેડૂતોના પશુઓ જેમાં સોળ જેટલી બકરીઓ અને એક બળદ ઉપર આકાશી વીજળી પડતા તમામ પશુઓના ખેતરમાં જ મોત થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સીંગલગભાણ  ગામના સીમાડામાં આવેલા ખેતરમાં વરસાદ વધુ પડતા સાગના ઝાડ નીચે પશુઓ ઉભા હતા તે જ સમયે વીજળી પડતા તમામ પશુઓનું મોત થઇ ગયા હતા. પશુ સિવાય અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી મરણ પામેલ બળદ તેમજ બકરીઓની કિંમત 1,10000 રૂપિયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

પંચાયતે આપેલી ઘટના માહિતી પ્રમાણે 16 બકરી અને એક બળદનું મોત થયું છે. પશુ દવાખાનાની ચિકિત્સકની ટીમ પશુઓના પી.એમ. માટે પહોંચી હતી.