છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા છે. જે ખેલાડીઓ 1/10/2021થી 10/10/2021 દરમ્યાન ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે યોજાનાર સિનિયર વિભાગ ઓલ ઇંડિયા તિરંદાજી સ્પર્ધામાં એકલવ્ય એકેડેમીના 5 આદિવાસી તિરંદાજો ભાગ લેવા જશે. જેમા કમ્પાઉંડ વિભાગમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી પાયલબેન રાઠવા ભાઇઓના વિભાગમાં રાઠવા મુકેશભાઇ રેલીયાભાઇ, ભીલ મુકેશભાઇ સામજીભાઇ અને રીકર્વ વિભાગમાં ડું.ભીલ અશ્વિનભાઇ મોગીયાભાઇ, વસાવા કમલેશભાઇ સંજયભાઇ આમ કુલ પાંચ ખેલાડીઓ ગુજરાત રાજયની ટીમમાં પ્રતિનિધિત્વ કરશે.

એકલવ્ય તિરંદાજી એકેડેમીના સ્થાપક રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ તિરંદાજી એસોસીએશન ઓફ ઇંડીયાના જોઇંટ સેક્રેટરી દિનેશભાઇ ભીલના જણાવ્યા અનુસાર ખેલાડીઓ પેરીસ ખાતે 2024માં યોજાનાર ઓલમ્પિકની રમતોમાં પસંદગી થવા રાત દિવસ તનતોડ રોજની 10 કલાક જેટલી મેહનત કરે છે. એકલવ્ય તિરંદાજી એકેડેમીએ અત્યાર સુધી 100 જેટલા રાષ્ટ્રીયકક્ષાના મેડલો મેળવી ચુક્યા છે. બે ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ ચુક્યા છે. નસવાડી એકેડેમીના કારણે અનેક યુવાઓ સરકારી નોકરીમાં, રમત ગમત કોટામાં 100 જેટલા ભરતી થયા છે.