ગુજરાત: હાલમાં પડદા પાછળ નેતૃત્વ પરિવર્તનની કવાયત થઈ શકે છે, પરંતુ સામેથી ભાગ્યે જ કોઈ જાણતું હશે કે ભારતીય જનતા પાર્ટી વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ પરથી આટલી જલદી દૂર કરવાનો નિર્ણય લેશે. જોકે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે ગુજરાતના હાથમાં કોનો હાથ હશે તે અંગેનો નિર્ણય આજે થોડા ક્ષણોમાં સામે આવી જશે.

મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ગુજરાત ભાજપ વિધાનસભા પક્ષની આજે એટલે કે રવિવારે બેઠક થવાની શક્યતા છે. આ દરમિયાન મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નામ બહાર આવી રહ્યા છે. જેમ કે સી.આર. પાટીલ, નિતિન પટેલ, આર.સી.ફલદુ, પુરૂષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, ગણપત વસાવા જેવા નામો ચર્ચામાં છે.

આવનારી થોડા કલાકોમાં ગુજરાતનો નવા મુખ્યમંત્રી કોણ ? બનશે તેનો ફેસલો આવી જશે ત્યારે આ અંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય લેવાશે એ ગુજરાતની જનતા કેટલાં અંશે સ્વીકાર છે એ જોવું રહ્યું.