ઝઘડિયા: નર્મદા જીલ્લાના ઝઘડિયાના  ધારાસભ્ય છોટુ વસાવાએ વીડિયો સંદેશો વહેતો કરી રાજય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે બે દિવસ આગળ જુનાગઢના રેડિયા ગામમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલા ખરેખર નિંદનીય છે.

છોટુ વસાવાએ કહ્યું હતું કે, આ હુમલો ઈરાદા પૂર્વક અને ભાજપ વિરુદ્ધ માર્ગદર્શન ન આપે એટલા માટે કરવામાં આવ્યો છે. સરકાર આતંકવાદ ફેલાવવાનો કૃત્ય કરી રહી છે, તે તદ્દન ખરાબ બાબત છે. દેશમાં ભાજપ સાથે કોઈ રહ્યું નથી એટલે મશીનરી, પોલીસ અને બાકીના તંત્રનો ઉપયોગ કરીને જે લોકો ગુજરાતના સમાજને બેઠો કરવા અને માર્ગદર્શન કરવા માંગે છે. તેના આ પ્રકારના જીવલેણ હુમલા કરાવે છે.

તેમણે કહ્યું કે ભાજપ સરકારે આ પ્રકારે ભૂતકાળમાં કેટલાય લોકો પર હુમલો કરાવ્યા છે. જે હવે જનતા બધી જ મોનોપોલી જાણી ગઈ છે એટલે હવે લોકો ચુપ બેસશે નહિ હવે જનતા ભાજપના કરેલા કરતૂતોનો બદલો વળશે એ નક્કી છે.