પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 960 કેસ નોંધાયા છે. જેની સામે 1268 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4241 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,36,259 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 11,625 છે. આજે રાજ્યમાં કુલ 54,612 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.28 ટકા છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 204, અમદાવાદ જિલ્લામાં 7, સુરત શહેરમાં 124, સુરત જિલ્લામાં 26, વડોદરા શહેરમાં 102, વડોદરા જિલ્લામાં 33, રાજકોટ શહેરમાં 96, રાજકોટ જિલ્લામાં 26, ગાંધીનગર શહેરમાં 18, ગાંધીનગર જિલ્લામાં 22, કચ્છમાં 31, બનાસકાંઠામાં 26, જૂનાગઢ, પંચમહાલમાં 24-24, મહેસાણામાં 21, ભાવનગરમાં 19, દાહોદમાં 17, ખેડામાં 16, આણંદમાં 13, ભરૂચમાં 11 સહિત કુલ 960 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 7 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 4, જ્યારે સુરતમાં 3 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 202, અમદાવાદ જિલ્લામાં 3, સુરત શહેરમાં 125, સુરત જિલ્લામાં 30, વડોદરા શહેરમાં 161 વડોદરા જિલ્લામાં 70, રાજકોટ શહેરમાં 106, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 19, ગાંધીનગર જિલ્લામાં 68, જામનગરમાં 90, મહેસાણામાં 48, સુરેન્દ્રનગરમાં 31સહિત 1268 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 11,625 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 11,559 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,20,393 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.