ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકો પર હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે પ્રચારમાં બંને પક્ષોએ કમર કસી છે. ગુરુવારથી ભાજપ દ્વારા ૮ બેઠકો પર સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર શરુ કરવામાં આવશે. ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણીના પ્રચારમાં ગુરૂવારથી લાગી જશે. જેમાં ખાસ કરીને જોઈએ તો 28 અને 29 ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સૌરાષ્ટ્રમાં 4 બેઠકો પર સંયુક્ત સભા કરવાના છે. તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આઠેય બેઠકો પર પ્રચાર કરવાના છે. આવતીકાલથી મુખ્યમંત્રી રૂપાણીનો પ્રવાસ પ્રચાર માટેવ શરૂ થશે.

   ભાજપ દ્વારા ૮ બેઠકો પર જીત મેળવવા માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મનસુખ માંડવીયા સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય સીટો પર જઈને પ્રચાર કામગીરી હાથ ધરશે અને સભાઓ પણ ગજવશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની 23 ઓક્ટોબરે લીંબડી અને ધારીમાં પ્રચાર કરશે. તો મનસુખ માંડવીયા 24 અને 25 ઓક્ટોબર તેમજ છેલ્લે 30 -31 ઓક્ટોબર સુધી આઠેય બેઠકો પર સભાઓ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ 29 અને 30 ઓક્ટોબરે સભા કરશે. તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ તમામ દિવસ ચૂંટણી પ્રચારમાં જોડાશે.