india ન્યુઝ ગુજરાતી ફોટોગ્રાફ્સ

વલસાડ: છેલ્લા ઘણા સમયથી સમગ્ર આદિવાસી સમાજમાં વિવાદનો વિષય બનેલો પાર-તાપી રીવર લિંક પ્રોજેકટ મુદ્દે રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં યોજના પ્રાથમિક તબક્કામાંથી હટાવી દેવાયા હોવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

આ યોજનાને પ્રાથમિક તબક્કામાંથી હટાવી દેતા આદિવાસી સમાજમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે અગાઉ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી. વર્ષ 2022માં ગુજરાત સરકારે આ યોજના હટાવી દેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 10મી ઓગસ્ટ 2023ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હતી. આ પ્રક્રિયા આગળ વધતા 29મી ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારને આ યોજના રદ કરી દેવાયા અંગેનો પત્ર પાઠવવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઓગસ્ટ 2025માં ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે તેની જાહેરાત કરી હતી. 13મી ઓગસ્ટ 2025ના રોજ લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને પણ કેન્દ્રીય જળ શક્તિ વિભાગ દ્વારા આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જ્યારે હવે 18મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ માનસરંજન મંચરાજે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કેન્દ્ર સરકારે ફરી એકવાર આ યોજના પ્રાથમિક તબક્કામાંથી હટાવી દેવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. આ નિર્ણયથી આદિવાસી સમાજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here