નર્મદા: દેશભરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આદિવાસી સમાજને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામ ખાતે આવેલ ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓના કારણે આદિવાસી સમાજના લોકો નાની-મોટી દુકાનો દ્વારા ચા, નાસ્તો, મકાઈ અને પરંપરાગત આદિવાસી વાનગીઓનું વેચાણ કરીને રોજગારી મેળવી રહ્યા હતા. પરંતુ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આદિવાસી સમાજ રોજગારી મેળવી આત્મનિર્ભર બની પોતાનું જીવનગુજરાન કરે એ ન ગમ્યું અને આ દુકાનોને ગેરકાયદે ગણાવી, તેને તોડી પાડવામાં આવી છે, આ ઘટનાએ આદિવાસી સમાજની રોજગારી છીનવી લીધી છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

ફોરેસ્ટ વિભાગની લુખ્ખાગીરી..

સ્થાનિક આદિવાસીઓનું કહેવું છે કે, તેઓ પોતાના વિસ્તારમાં પ્રવાસન સ્થળની નજીક નાના ધંધા દ્વારા આજીવિકા ચલાવી રહ્યા હતા. આ દુકાનો ફોરેસ્ટ વિભાગની જમીન પર હોવાનું કારણ આપી, અધિકારીઓએ કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના તેને તોડી પાડી. આ સ્થળ પર ધોધ જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હોમગાર્ડ અને પોલીસ જવાનો પણ ડ્યુટી પર હોઈ ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દુકાનો તોડી પાડવાની આ ઘટનાનો વિડીયો હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટીમાં આ વિસ્તારમાં બનતી ઘટન અંગે સાબિતી માટે ઉતાર્યો હતો ત્યારે હોમગાર્ડના જવાનને લુખ્ખી દાદાગીરી કરી ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીએ લાફો મારી દીધો હતો. અને આ ઘટનાને બહાર ન આવે એવા પ્રયાસો કર્યા છે…

આ ઘટનાની જાણ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઇ તડવી જાણ થતા તેઓ ઝરવાણી ગામ ખાતે પીડીતોની મુલાકાતે પહોંચી આ આ ઘટનાની જાણ કારી મેળવી આજ રોજ એકતાનગર ( કેવડિયા) ખાતે આવેલ ફોરેસ્ટ વિભાગની ઓફિસ પર રજૂઆત કરવા પહોંચ્યા હતા..

આ ઘટનાને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ અને નિરાશા ફેલાવી છે. તેઓ માંગ કરી રહ્યા છે કે, સરકારે તેમની રોજગારીની તકો છીનવવાને બદલે, યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરવી જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિક પ્રવાસન સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને વાનગીઓનું પ્રદર્શન ન માત્ર સ્થાનિકોની આજીવિકા માટે જરૂરી છે, પરંતુ તે ગુજરાતના પ્રવાસનને પણ વધુ આકર્ષક બનાવે છે.

ત્યારે સવાલ થાય છે ?
પ્રવાસન સ્થળ પર આદિવાસીઓ માટે ધંધો કરવો ગુનો કેમ ? કેમ આત્મ નિર્ભર થતા આદિવાસીઓને સરકારી બાબુઓ દ્વારા હેરાન કરવામાં આવે છે.??
શું આ છે વડા પ્રધાનના આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ?? જ્યાં હવે આદિવાસીઓ આત્મનિર્ભર નહીં બની શકે.?
શું પોતાના વિસ્તારમાં ધંધો કરવા માટે પણ સરકાર ની મંજૂરી લેવાનું આ કેવો વિકાસ ??
ક્યાં છે સ્થાનિક સત્તા પક્ષના નેતાઓ..? જે આવી ઘટનાઓ પર મૌન ધારણ કરી લે છે.!