ઝઘડિયા: ઝઘડિયા વલ્ડ વિઝન સંસ્થાના મેનેજર વિનીત મેસી અને સ્ટાફના આયોજનથી આમલઝર, વલા, મોટાસોરવા, વનખુટા, જેસપોર, ધોળાકુવા અને સીમધરા કલસ્ટરમા વરસાદની શરૂઆત થતાં બાળકો અને વાલીઓ સાથે 2300 વૃક્ષો રોપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.પર્યાવરણ બાબતે લોકોને જાગૃત કરવા બાળકો સાથે રેલી યોજી પર્યાવરણ બચાવવા સુત્રો બોલાવામા આવ્યા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ જશવંત વસાવા અને સ્ટાફ દ્વારા પર્યાવરણનુ મહત્વ અને વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 મી જૂને કેમ ઉજવવામા આવે છે? તેની માહિતી આ દેશ અને દુનિયા માં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ, પ્લાસ્ટિકનો વધતો જતો ઉપયોગ તેમજ ઝાડ કાપી જંગલોનો મોટા પ્રમાણમાં નાશ કરવાથી દિન પ્રતિદિન હવા, પાણી, તેમજ જમીન પ્રદુષિત થઈ રહયા છે. તેના કારણે પર્યાવરણની સુરક્ષા સામે ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે.
અને સ્વાસ્થ્યને લગતા પ્રશ્રો ઉભા થઇ રહયા છે તેમજ દર વર્ષે તાપમાનમા ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેના કારણે સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર ખતરો ઉભો થયો છે. અને માનવ જીવન માટે પર્યાવરણ બાબતે ખૂબ મોટા પ્રશ્રો ઉભા થઇ રહયા છે. માનવ જીવનના અસ્તિત્વ માટે ફક્ત પર્યાવરણ જ નિર્ણાયક છે. ત્યારે દર વર્ષે વધુમા વધુ વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવા માહિતી,માર્ગદર્શન આપી દરેક લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

