ફિલ્મી જગત: સાઉથ ફિલ્મના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડા ફરી એકવાર વિવાદમાં ઘેરાયો છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન આપેલા નિવેદનને લઈને તેમની સામે SC/ST (અત્યાચાર નિવારણ) ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
આ નિવેદનને કારણે અનેક આદિવાસી સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. શું કહ્યું હતું વિજય દેવરકોંડાએ ? એપ્રિલ 2025માં ફિલ્મ ‘રેટ્રો‘ના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન વિજય દેવરકોંડાએ પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આતંકવાદીઓ આવા આદિવાસીઓની જેમ વર્તે છે જેમણે 500 વર્ષ પહેલા કોઈ કોમનસેન્સ વગર લડાઇઓ કરી હતી.“
આ ટિપ્પણીને ઘણા લોકોએ આદિવાસી સમુદાયની તુલના આતંકવાદીઓ સાથે કરવી ગણાવી હતી. નિવેદન સામે નેનાવા અશોકકુમાર નાઈક જે આદિવાસી સમુદાયો સંયુક્ત કાર્ય સમિતિના સ્ટેટ પ્રમુખ છે. તેમણે રાયદુર્ગગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે વિજયના નિવેદનથી આદિવાસી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

