સુરત: સુરતમાં જન્મ દિવસે જ ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પુત્રનો જન્મદિન મનાવવા પિતા દુકાનેથી કેક લઈને ઘરે આવ્યા હતા અને પુત્રને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠયા હતા. ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ વિદ્યાર્થીના આપઘાતનું કારણ બહાર આવશે.

Decision news  ને મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં રહેતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. વિનોદનો એકનો એક 16 વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો હતો. ગત રોજ આશુતોષનો જન્મદિવસ હતો. જેથી જન્મદિવસને લઈ પરિવાર ખુશખુશાલ હતો. આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા.

પુત્રના જન્મના દિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠયા હતા. પિતાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ તાત્કાલિક સ્થળે આવી પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ જ મોતનું કારણ બહાર આવશે. એકના એક પુત્રએ જન્મ દિવસના દિવસે જ આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here