ભરૂચ:આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રસિદ્ધ સ્થળો પર પ્રિ-ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જંબુસરના સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને કાવી ખાતે યોગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.

Decision news  ને મળતી માહિતી અનુસાર 20મી જૂને ભરૂચના નમો વડવન, શુકલતીર્થ ખાતે પ્રિ-ઇવેન્ટમાં 100 જેટલા લોકો ભાગ લેશે.21મી જૂન, 2025ના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં થશે.

મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યોગ વિદ્યા એ પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ છે. માનવજાતના આરોગ્ય, સુખાકારી અને માનવતાના વિકાસ માટે વર્ષ 2015થી દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here