ઝારખંડ: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે આરોપ લગાવ્યો ઝા કે આદિવાસી સંસ્કૃતિને ભૂંસી નાખવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ ચાલુ રહેશે, તો આગામી પાંચ વર્ષમાં રાજ્યમાંથી આદિવાસીઓ લુપ્ત થઈ જશે.
દુમકામાં પત્રકારો સાથે વાત કરતા રઘુવર દાસે કહ્યું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે ઝારખંડ દેશનું પહેલું રાજ્ય હતું જેણે પીએફઆઇ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વર્તમાન સરકારના શાસનમાં આ સંગઠન ‘વિકસી રહ્યું છે’. તેમણે દાવો કર્યો હતો કે લગભગ એક પખવાડિયા પહેલા, કેન્દ્રએ ઝારખંડ સરકારને વિલંબ કર્યા વિના PSA કાયદો લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી તે અનુસૂચિત વિસ્તારોના વિકાસ માટે 1,400 કરોડ રૂપિયાનું વિતરણ કરી શકે. પરંતુ રાજ્ય સરકાર ઇચ્છતી નથી કે કાયદો લાગુ થાય. પંચાયત (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમને આદિવાસીઓના રક્ષણ માટે ઢાલ ગણાવતા, ઓડિશાના ભૂતપૂર્વ રાજ્યપાલે પૂછય કે કોના દબાણ હેઠળ પીઇએસએ કાયદો હજુ સુધી અહીં લાગુ કરવામાં આવ્યો નથી ?
રઘુવર દાસે કહ્યું કે ઝારખંડનો એક જૂથ આ રાજ્યને ખ્રિસ્તી રાજ્ય બનાવવા માંગે છે, જ્યારે બીજા જૂથ તેને ઇસ્લામિક રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે જા આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ઝારખંડની સ્થિતિ નાગાલેન્ડ અને મિઝોરમ જેવી બને તો નવાઈ નહીં. તેમણે કહ્યું કે તેને બચાવવા માટે ઝારખંડને બીજી હુલ (આંદોલન) અને ઉલગુલાનની જરૂર છે. તેમણે આ દિશામાં પ્રયાસો પણ શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે વરસાદ પછી, તેઓ પોતે આદિવાસી સમાજને જાગૃત કરવા માટે પદયાત્રા પર જશે.

