ભરૂચ:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધપાત્ર પહેલ કરી છે. પોલીસ મથકના પ્રાંગણમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ડીવાયએસપી ડો. અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી માહિતી મુજબ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવાની ઉપસ્થિતિમાં પીએસઆઈ સહિત તમામ પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પોલીસ મથકના પ્રાંગણમાં 150 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આમાં ફળદ્રુપ, ઔષધિય અને છાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે. વનસંપત્તિના રક્ષણ અને હરિયાળી વધારવા માટે પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થઈ હતી.

કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મચારીઓએ રોપેલા વૃક્ષોની સંભાળ લેવાનો સંકલ્પ કર્યો. વૃક્ષોને નિયમિત પાણી આપવું અને તેમના વિકાસની દેખરેખ રાખવાની જવાબદારી સ્વીકારી. આ રીતે પોલીસ કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here