સુરત: હત્યાની કોશિશના કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીનો વકીલ પર હુમલો કામરેજમાં નોંધાયેલા હ ત્યાની કોશિશના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો આરોપી પ્રકાશ મેસુરીયાએ અવારનવાર સાક્ષીમાંથી હટી જવા આપતો હતો ધમકી આરોપીએ તેના પુત્ર સાથે મળી એડવોકેટ સૌરભ હુમલો કર્યો ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી સુરતમાં હત્યાની કોશિશના કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ વકીલ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.

કામરેજમાં નોંધાયેલા હ ત્યાની કોશિશના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2020માં થયેલા ફાયરિંગમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો. જેમાં પોલીસે પ્રકાશ મૈસુરિયાંની ધરપકડ કરી હતી. આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતા. પ્રકાશ મેસુરીયાએ અવારનવાર સૌરભને સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી આપી હતી. ત્યારે આરોપીએ તેના પુત્ર સાથે મળી હુમલો કર્યો હતો. ત્યારે હાલ સમગ્ર મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે..અનુસાર માહિતી દરમિયાન, સુરત જિલ્લામાં ફરી એકવાર કાયદાના રક્ષક પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. કઠોર વિસ્તારમાં રહેતા એડવોકેટ સૌરભપર ખૂન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એડવોકેટ 2020માં કામરેજ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં મુખ્ય સાક્ષી છે. જેમાં પ્રકાશ મૈસુરિયા નામના શખ્સે અરવિદ સોલંકી પર ગોળીબાર કર્યો હતો. આ કેસમાં અરવિદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 307 (હત્યા પ્રયાસ) અને એટ્રોસિટી ઍકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપી પ્રકાશ મૈસુરિયાને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર આરોપી થોડા સમય બાદ જામીન પર છૂટી ગયો હતો, પરંતુ ત્યારબાદથી એડવોકેટ સૌરભને વારંવાર ધમકી આપતો રહેતો હતો કે તે સાક્ષીમાંથી પોતાનું નામ હટાવી લેવા કહેતો હતો. આ શનિવારના રોજ પ્રકાશ મૈસુરિયા અને તેના પુત્ર આયુષ મૈસુરિયાએ સૌરભપર ધાતક હથિયાર (ધારીયો) વડે જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં એડવોકેટ ગંભીર રીતે ઘવાઈ ગયા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં, ઉતરાણ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા અને તેમના સામે પગલાં લેવા કાર્યવાહી શરૂ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ધમકીઓ અને હવે થયેલા હુમલાથી સ્પષ્ટ છે કે તેઓ કેસને અસરગ્રસ્ત કરવા માટે ગંભીર પ્રયાસ કરી રહ્યા હતા. હુમલાનો હેતુ એડવોકેટને ડરાવીને સાક્ષીપદમાંથી દૂર કરવાની હતો. આ ઉપરાંત એસીપી ડી. એસ. પટેલના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે વધુ કડક કલમો ઉમેરવામાં આવી રહી છે અને તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એ મુદ્દે ચર્ચા ઉકેલી છે કે કેસોમાં સાક્ષીઓની સુરક્ષા માટે કાયદાકીય વ્યવસ્થામાં સુધારા કરવાની જરૂર છે.