સુરત: સુરતમાં સચિન વિસ્તારમાં ભેદી તાવ અને ઉલ્ટીને કારણે બે બાળકોના મોત થતાં ચકચાર મચી જવા પામી છે.સચિનમાં ભેદી તાવને કારણે ત્રણ વર્ષના બાળકનું અને પાંડેસરામાં ઉલ્ટીને કારણે 11 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. બે બાળકોના મોત થતાં સુરતમા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયાં છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર શહેરમાં એપ્રિલ મહિનામાં રોગચાળાના આંકડા પણ ચોકાવનારા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ભેદી તાવ અને ઉલ્ટીને કારણે બે બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયાં છે. શહેરના સચિન વિસ્તારમાં ભેદી તાવને કારણે એક બાળક અને પાંડેસરામાં શ્રમજીવી પરિવારના 11 વર્ષના બાળકનું ઉલ્ટીને કારણે મોત નિપજ્યું છે. બાળકોના મોતની ઘટના બનતાં આરોગ્ય વિભાગમાં દોડધામ વધી ગઈ છે.

સુરતમાં ઉનાળાની સિઝનમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં એપ્રિલ મહિનામાં રોગચાળો વધુ પ્રમાણમાં વકર્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં ઝાડા ઉલ્ટીને અને તાવને કારણે 11 લોકોના મોત નિપજ્યાં છે. શહેરમાં ભેદી તાવથી થતા મોતને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ વધી જવા પામી છે. તેમાં  બે બાળકોના મોત થતાં અધિકારીઓ દોડતા થઈ ગયાં છે.