ભરૂચ: ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામના રહીશો દરિયાની ભરતીના પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરિયામાં જ્યારે મોટી ભરતી આવે છે ત્યારે દરિયાનું પાણી ઇસ્લામપુર ગામની નવીનગરીમાં ભરાઈ જાય છે.
Decision News ને મળેલી માહિતી અનુસા જેના કારણે રહીશોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. દરિયાના પાણીને ગામમાં પ્રવેશતું અટકાવવા માટે પાળો પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી પાળો તૂટી જતા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગામમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળે છે.
આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગામમાં પાણી ભરાઈ જતા અવરજવર કરવાની પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે તંત્ર આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે.

