નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં આવેલ ITI માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીની લાશ આલીપોર ગામમાં ખાપરિયા આંબાવાડીમાં 17 વર્ષીય સગીરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
Decision news ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ નવસારી શહેરમાં આવેલ ITI માં અભ્યાસ કરતાં 17 વર્ષીય ઉમંગ ઉક્કડ નાયકાએ આત્મહત્યા કરી લીધી છે. આલીપોર ગામના ખાપરિયામાં રેણુકા પેટ્રોલ પંપની બાજુમાં આવેલી આંબાવાડીમાં યુવકે દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો.
હાલમાં સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે યુવકે પ્રેમ પ્રકરણના કારણે આ પગલું ભર્યું હોય શકે છે. આ ઘટનાથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આત્મહત્યા પાછળના ચોક્કસ કરણની તપાસ કરી રહી છે. હવે આવનારા દિવસમાં આપઘાતનું સાચું કારણ બહાર આવશે.

