ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાનાં સેવાભાવી ડો.દિવ્યાંગીના જન્મદિવસ નિમિત્તે તેમની ”પટ બહાર મુખ્ય માર્ગ પર પાણીની પરબ મુકી માનવતા મહેકાવી હતી. ભર ઉનાળામાં તરસ્યા રાહદારીઓને પાણીની વ્યવસ્થા કરી રાહત અપાવવાનો પ્રયાસ કર્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સેવાભાવી દંપતીના આ સેવા કાર્યમાં તીઘરા ના જાણીતાં વેલ્ડર અને ફ્રેમવર્ક નિષ્ણાંત મુકેશભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મજૂરી લીધા વગર આ સુંદર પરબ બનાવી આપી હતી. તબીબે જન્મદિવસની ઊજવણી માં બાપ વગરના વિવિધ ધર્મ-સમાજના ગરીબ બાળકોને નોટબુક-પેન્સિલ-રમકડાં અને આર્થિક સહાય આપી હતી.
એપ્રિલ મે મહિનામાં સૂરજદાદા કાળઝાળ ગરમી વરસાવી રહ્યા છે ત્યારે હાલમાં ઘણા વિસ્તારોમાં વિકટ જળસંકટ ઊભા થયા છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓના નિવારણ માટે સેવાભાવિ મહિલા તબીબે પ્રયાસો આદરી દીધા છે.

