ધરમપુર: ગતરોજ ખારવેલ પ્રા. શાળામાં વર્ષ 2024/2025માં ધોરણ 8 માં ભણતા વિધાર્થીઓનો શુભેચ્છા સન્માન સમારંભ યોજવામાં આવ્યો જેમાં ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી રેખાબેન રાજેશભાઈ પટેલની આગેવાનીમાં શાળામાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી એમનું પુષ્પ ગુચ્છથી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યુ હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ સન્માન સમારંભમાં શાળાના આચાર્યશ્રી કૌશિકભાઈ નાનુભાઈ પટેલ દ્વારા ધોરણ આઠના વિધાર્થીઓ જીવનમાં ખૂબજ આગળ વધી પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા, તેમજ શાળાના સિનીયર શિક્ષકશ્રી તખ્તસિંહ પરમાર દ્વારા પણ બાળકોને આશીર્વચન આપ્યા અને જીવનમાં પરિશ્રમનું મહત્ત્વ શું છે..? તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. બાળકોમાં આળસ કયારેય ના આવવી જોઈએ અને જીવનમાં આળસએ જીવતા માણસની કબર છે. જે અંગે સમજ આપી હતી. ત્યારબાદ શાળાના વિધાર્થીઓને ક્લાસ ટીચર્સ શ્રીમતી અંકિતાબેન લાડ અને શ્રીમતી જીનલબેન ટંડેલ દ્વારા પણ વિધાર્થીઓને આશીર્વચન આપ્યા. ત્યારબાદ શાળાના વિધાર્થીઓ દ્વારા પણ શુભેચ્છા સન્માન સમારંભ અનુસાર પોતાના અભિપ્રાય આપ્યા જેમાં ખુબજ સરસ રીતે પોતાના જીવનમાં ગુરુનું સ્થાન અને પોતાના જીવનમાં જે ઘડતર થયું એ ગુરુઓના આશીર્વાદ અને એમના અથાગ પરિશ્રમનું ફળ છે. ક્રમાનુસાર ફેનીબેન ભરતભાઈ પટેલ, કેવિનભાઈ પટેલ, રાગીનીબેન દુર્ગા પ્રસાદ ગુપ્તા,અને ત્વીષાબેન પટેલ દ્વારા પોતપોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ ખારવેલ ગામમા સરપંચ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા ધોરણ આઠના વિધાર્થીઓએ પર્યાવરણ જાગૃતિ માટેનો ખૂબજ સુંદર સંદેશ પૂરો પડે તેમ સમૃતિભેટ તરીકે ખારવેલ પ્રા શાળાને ફૂલ છોડ ભેટ તરીકે આપ્યા હતા.
તેમજ ખારવેલ પ્રા શાળાના બાળકોને હર હંમેશ સ્ટેશનરીની જરૂરિયાત પૂરી પાડનાર આર. કે. ટ્રેડર્સનાં માલિક પૃથ્વીસિંહ રાઠોડ દ્વારા ધોરણ આઠના વિધાર્થીઓને ફોલ્ડર સમૃતિભેટ તરીકે આપ્યા હતા. શાળાના શિક્ષકશ્રી જશવંતભાઈ માહલા દ્વારા સુદંર શુભેચ્છા સન્માન સમારંભની રૂપરેખા તૈયાર કરતો બોર્ડ તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો તેમજ શાળાના તમામ સ્ટાફગણે આ શુભેચ્છા સન્માન કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. શાળાની શિક્ષિકા હર્ષાબેન માધવસિંહ પરમાર દ્વારા પ્રસંગ અનુરૂપ આભારવિધિ કરવામા આવી હતી. શુભેચ્છા સન્માન સમારંભનું સંચાલન ગણેશભાઇ ડી ગાંવિત દ્વારા કરવામાં આવ્યુ હતુ.

