નવસારી: નવસારી જિલ્લામાં હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન 108 ઈમરજન્સી સેવા ને કુલ 184 કોલ મળ્યા છે. આ તમામ કેસમાં દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. 13મી માર્ચે હોળીના દિવસે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી 75 કોલ મળ્યા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર 14મી માર્ચે ધુળેટીના દિવસે આ સંખ્યા વધીને 109 થઈ હતી. ધુળેટીના દિવસે નવસારી સિવિલ હોસ્પિટલમાં 24 દર્દીઓને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી.

જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધારે 13 ઈમરજન્સી કોલ નોંધાયા હતા. 108 સેવાના અધિકારીઓના જણાવ્યા મુજબ, તહેવારો દરમિયાન ઈમરજન્સી કોલની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here