ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં જમીન વિવાદને લઈને નાની કોરવાડ ધનકી ફળિયામાં રહેતા 79 વર્ષીય કાશીરામ શિંગાડા પર તેમના કુટુંબી દેવરામ ગૉડુંભાઈ સિંગાડાએ લાકડી વડે હુમલો હત્યા કરી દેવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર 14 માર્ચના રોજ ધરમપુરના કાશીરામ શિંગાડા નામના વ્યક્તિ લગ્નમાં ગયા હતા ત્યારે જમીન વિવાદને લઈને દેવરામે કાશીરામ સાથે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા દેવરામે લાકડી વડે કાશીરામ પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘવાયેલા કાશીરામ ઓટલા પર પડી ગયા હતા. બીજા દિવસે સવારે 6 વાગ્યે પરિવારજનોએ કાશીરામને લોહી લુહાણ હાલતમાં જોયા હતા.

તેમને તાત્કાલિક 108 મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ત્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ 15મી માર્ચની સાંજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.