સુરત: સુરતના ડીંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાતે હત્યાની ઘટના બની. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખસો દ્વારા હત્યા કરવામાં આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં મૃતક ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેઠો હતો. આ સમયે હુમલા ખોરોએ તેને ઘેરી ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.

Decision News  ને મળેલી મળેલી માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગણેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે તરત જ આવી હતી અને ગણેશ વાઘના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો.ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકની હત્યા થઈ હતી. આ કેસમાં પ્રાથમિક આરોપીઓમાં ગણેશ વાઘનું પણ નામ હતું. લોકોનું માનવું છે કે, દેવાની હત્યાથી રોષે ભરાયેલા તેના લોકો દ્વારા જૂની અદાવતનો ગુસ્સો રાખીને ગણેશની હત્યા કરવામાં આવી હોઈ શકે. ડીંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેસી રહ્યો હતો.

હત્યા મિત્રોમાંથી કોઈએ કરી છે કે અન્ય કોઈ શખ્સ દ્વારા અંજામ આપવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા માટે કવાયત શરૂ કરી છે.ઘટના સ્થળે અને નજીકના વિસ્તારમાં રહેલા કેમેરાની તપાસ ચાલી રહી છે, જેથી આરોપી અથવા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી શકાય. દેવાના ભાઈ અથવા અન્ય કોઈ જૂની અદાવત ધરાવતા લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે.  નજીકના વિસ્તારમાં રહેલા કેમેરાની તપાસ ચાલી રહી છે, જેથી આરોપી અથવા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી શકાય. દેવાના ભાઈ અથવા અન્ય કોઈ જૂની અદાવત ધરાવતા લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે. ઘટના સમયે ગણેશ વાઘ સાથે બેઠેલા મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.