ગરૂડેશ્વર: નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ નર્મદા જિલ્લા ના ગરૂડેશ્વર ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિરોધ પક્ષ ના નેતા અને આંકલાવ ના ધારા સભ્ય એવા અમિત ચાવડા વિષેસ ઉપસ્થિત રહી લોકો સાથે સીધો સંવાદ કરી પ્રજ્જનો ની નાની મોટી સમસ્યાઓ સાંભળી હતી. આ જનમંચ કાર્યક્રમ મા પ્રજાજનો દ્વારા રોડ રસ્તા પાણી વીજળી શિક્ષણ અને હોસ્પિટલ જેવી અનેક સમસ્યાઓ રજૂ કરી હતી

ઉલ્લેખનીય છે કે આગામી સમયમા ગુજરાતમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમા જનમંચ નું આયોજન કરી પ્રજાજનો સાથે સીધો સંવાદ કરી લોકોની નાની મોટી સમસ્યાઓ સાંભળી તેને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચનું આયોજન કરવામાં આવ્યુ.

આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય એવા અમિત ચાવડા વિષેસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના દિગગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો સાથે સીધો સંવાદ કરી વિસ્તાર માં રોડ રસ્તા પાણી આરોગ્ય વીજળી સહિતની નાની મોટી સમસ્યાઓ સાંભળી હતી અને આ સમસ્યાઓની વિધાનસભામાં રજૂઆત કરવા અને વહેલી તકે સમસ્યાઓ દૂર કરવા માટે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ લોકોને આશ્વાસન આપ્યું હતું