ધરમપુર: ગતરોજ આપણાં દેશમાં આપણું રાજ સ્વાયત્ત રાજનું સુત્ર આપી ગયેલા મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ‌ધરતી આબા બિરસા મુંડાની શહાદત દિવસે ધરમપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા હારદોરા કરી શ્રધાંજલિ આપવામાં આવી હતી.

આદિવાસી જનનાયક બિરસા મુંડાએ પોતાની શહાદત પહેલાંની અમુક ક્ષણો પહેલાં છેલ્લે કહ્યું હતું કે મારા સમગ્ર શરીરને કપડામાં લપેટી દેજો, પરંતુ મારા પગને ખુલ્લા રાખજો, ઉધાડા રાખજો જેથી મારા સમાજનાં‌ લોકોને ખબર પડે કે આદિવાસી સમાજે હજું ધણું ચાલવાનું છે.

મહાન બિરસા મુંડાના શહાદત દિવસે આ ઉપરાંત ધરમપુરમાં આવેલ દરેક મહાનુભાવોની પ્રતિમાને ધરમપુર નગરપાલિકા અને એમની ટીમ દ્વારા પાણીથી કાયમ ધોવામાં આવે છે એ કામગીરીને આદિવાસી સમાજ ધરમપુર દ્વારા બિરદાવી હતી