નર્મદા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતા જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારનાં આદિવાસીઓને આજે પણ જિલ્લા મથક સુધી પહોંચવા માટેના રસ્તાઓ બિસ્માર હાલતના છે, આ રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે, જ્યાં ખાડા ટેકરા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે મોટા વાહનો તો ખરા જ પરંતુ સૌથી વધુ બાઈક સવાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણે મોટા વાહનો પસાર થાય ત્યારે બાઇક સવાર રાહદારીઓને બિસ્માર રસ્તાઓને કારણે આંખમાં ધૂળ આવી જતા અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે.
જુઓ વિડીઓ..
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નર્મદા જિલ્લાના અંતરીયાળ વિસ્તાર મોવી ત્રણ રસ્તા થી ડેડિયાપાડાને જોડતો રસ્તો વર્ષોથી ચોમાસા દરમિયાન બિસ્માર થઈ જતો હોય છે, હાલમાં મોવી ચોકડી થી થોડા દુર ડેડિયાપાડા રોડ પર એક ગરનાળું બનાવ્યું છે, પરંતુ એટલી લો કોલેટીનું મટીરીયલનો ઉપયોગ કર્યો છે કે, અત્યારથી કૉઝવે પર ખાડા પડી ગયા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, છતાં તંત્ર આળસ ખંખેરવાનું નામ લેતું નથી.
સરકાર વિકાસના કામો પાછળ કરોડો રૂપિયા ફાળવતી હોવા છતાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પ્રજા મુશ્કેલી કેમ ભોગવી રહી છે.? શું આદિવાસી વિસ્તારમા ફાળવેલ ગ્રાન્ટ માત્ર લો-કોલેટીના રસ્તાઓ ગરનાળા બનાવી ગ્રાન્ટ ચાવ કરી જવા માટે તો નથી ? આ રસ્તો મોવી થી ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો માર્ગ છે. મોવી થી ડેડિયાપાડાને જોડતા રસ્તા પર ઠેર ઠેર ખાડા પરી ગયા છે, જેના કારણે વાહન ચાલકો પટકાયા હોવાનું તેમજ નાની મોટી ઇજા પણ થઇ હોવાનું પણ નોંધાયું છે, છતાં નર્મદા માર્ગ વિભાગ વહીવટી તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.
લોક માંગ ઉઠી છે કે, મોવી થી ડેડિયાપાડા ને જોડતો રસ્તો ચોમાસા પહેલા રિપેર થઈ જાય તો જિલ્લા મથકે કામ અર્થે આવતા લોકોએ જિલ્લા મથક સુધી પરિવહન કરવામાં મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે.

