ડાંગ: આજરોજ આહવા વેપારી એસોસિએશન પ્રમુખ તુષારભાઈ પવારની આગેવાની હેઠળ ડાંગ દરબારમાં જે પ્લેટોના ભાવોનો વધારો કરવામાં આવેલ છે તે બાબતને લઈને ડાંગ અધિક કલેકટરને આવેદનપત્ર આપી સમગ્ર મુદ્દે રજુવાત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ ડાંગમાં સવારે આહવા વેપારી એસોસિએશન પ્રમુખ તુષારભાઈ પવારની આગેવાનીમાં અને સ્નેહલ ઠાકરેની ઉપસ્થિતિમાં ડાંગ દરબારમાં જે પ્લેટોના ભાવોનો વધારો કરવામાં આવેલ છે તે બાબતને લઈને ડાંગ અધિક કલેકટર સોપાયું હતું અને રજુવાત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર દ્વારા આ મુદ્દે પગલાં લેવામાં આવે.

આહવા તમામ જાગૃત વેપારીઓ દ્વારા અધિક કલેકટર સાહેબ શ્રી ને રજૂઆત કરી કે આ દરબારમાં જે 4000 ભાવ રાખવામાં આવેલ છે તેને ઓછો કરવામાં ન આવે તો ડાંગ દરબાર નો ડાંગ દરબાર નો વિરોધ કરી બહિષ્કાર કરવામાં આવશે