કપરાડા: કપરાડાના મંદિર ફળિયા વિસ્તારમાં નવનિર્મિત શોપિંગ સેન્ટર શરૂઆત થી જ વિવાદમાં રહ્યું છે. બિલ્ડરો દ્વારા દુકાનદારોને ધાક ધમકીઓ આપી શોપિંગની આગળ આવેલી દુકાનો ખાલી કરી દેવાઈ હતી અને સરપંચને સાથે લઈને શોપિંગમાં આવેલા વર્ષો જૂનો પાણીનો કૂવો અને પાણીની ટાંકી હતી તે પણ પૂરી દઈ તેના ઉપર મસ મોટુ શોપિંગ સેન્ટર ઉભુ કરી દેવામાં આવ્યું હોવાની લોકચર્ચા કરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં લોકો રોડની સાઈડમાં દુકાન ચલાવી રોજી રોટી મેળવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યાં પણ ગત શનિવારે 27 અને 28 રવિવારના રોજ બિલ્ડરો દ્વારા દુકાનની આગળથી કમ્પાઉન્ડ વોલ બનાવી દેતા અંદર આવેલી 10 જેટલી દુકાનોનો ધંધો રોજગાર બંધ થઈ ગયો છે. આ કમ્પાઉન્ડ વોલ રસ્તાનાથી ફક્ત 10 ફૂટના જેટલા અંતરે બનાવી દેવાઈ છે. આમ બિલ્ડરો દ્વારા રોડ મારજીનમાં પણ દબાણ કર્યું હોય એવું લાગી રહ્યું છે. બિલ્ડરોસરકારી નિયમોને પણ ઘોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે. બીજું કે બુધવાર 7મી ફેબરુઆરીના રોજ બિલ્ડરો દ્વારા જોહુકમી કરી જેસીબીથી અહીં બનાવેલ મુસાફરો માટે પિક અપ સ્ટેન્ડ પણ તોડી પાડવામાં આવ્યું છે. તંત્ર અને સરપંચના મીલીભગતના કારણે બિલ્ડરો ગેલમાં જોવા મળી રહ્યા છે. અહીં આવેલ ત્રણ જેટલા દુકાનદારોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેમ છતાં તેમને પાક ધમકીઓ આપી ઘણીવાર મારા મારીનો કેશ એક બીજા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સહકાર મળતો ન હોય દુકાનદરોને ખાલી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાંજ રોડથી 10 ફૂટના અંતરે આવેલ નીલગીરીના વૃક્ષો ચા કાપી નાખવામાં આવ્યા છે. અને બસસ્ટેશન  તે પણ એક તપાસનો વિષય છે ? શું ખરેખર બિલ્ડરો દ્વારા જંગલખાતાની પરમિશન ચી- લેવામાં આવી હતી કે કેમ ? આમ કપરાડામાં હાલે શોપિંગ સેન્ટરના ટરના મામલે તંત્ર અને બિલ્ડરો સામે આદિવાસી લોકોમાં રોષ જોવા તેને મળી રહ્યો છે.