નર્મદા: વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી આદિવાસી સમાજમાંથી આવતાં આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા વિષે મહત્વપૂર્ણ વાત રજૂ કરતા જણાવ્યું હતું કે,

જુઓ વિડીયો..

હાલ ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે. ભાજપના કુશાસનનો ભોગ બનનાર આ વિસ્તારના વંચિતો, દલિતો અને આદિવાસીઓ આજે ચૈતરભાઈ વસાવાને એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ જનસભા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ જનસભાના રૂપમાં યાદ રહેશે. અરવિંદ કેજરીવાલજી, ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર ભાજપ અત્યાચાર કરી રહી છે. તે સમયમાં કાલે યોજાયેલી ગુજરાતમાં આ જનસભા ખૂબ જ મહત્વનો ભાગ બનશે એમાં બે મત નથી એમ તેમણે જણાવ્યું હતું.