રાજપીપળા: વન વિભાગ રાજપીપલા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં સહભાગી વન વ્યવસ્થા જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા એ સ્ટેજ પરથી જણાવ્યું કે, જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ.

મનસુખ વસાવાએ કહ્યું કે, બધા મને કહે છે કે, સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહિ આપે. પણ મનસુખ વસાવા એ કહ્યું કે. હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો. મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે. જંગલની જમીનો પર થતા ગેરકાયદેસર ખેડાણને અટકાવવું પણ મારી ફરજમાં આવે છે. જંગલ જમીનમાં ખેડાણ રોકવા બાબતે બોલવવાળો આખા ગુજરાતમાં હું એક માત્ર નેતા છું.

જંગલોમાં નવું ખેડાણ બંધ કરવા માટે જાહેરમાં મનસુખ વસાવા એ કહ્યું કે, નવું ખેડાણ કરનાર લોકો ઘાસ કાઢવા માટે રસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. જેથી જંગલને નુકસાન થાય છે. એ દવાઓ બંધ કરવા માટે સરકાર કાયદો બનવો જોઈએ. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર ફોરેસ્ટરો અને બીટ ગાર્ડને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા.