રાજપીપળા: કેટલાય ગરીબ અને નિરાધાર પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ દવારા બે ટંક ભોજન મળી જતું હોય્ છે પરંતુ સરકારની યોજના થી અજાણ અને કોઈક કારણસર લાભ ન લઇ શકતા લોકો ભીખ તરફ વળે છે ત્યારે આવા લોકો ને કોઈની સામે હાથ ના લંબાવો પડે અને સ્વમાનભેર ભોજન મળે તે હેતુ થી રાજપીપળાની સામાજિક સન્સ્થા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા આજથી નિરાધાર અને જરૂરિયાતમંદ ને વિનામૂલ્યે ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગરીબ નિરાધાર, તેમજ જરૂરિયાત મંદવલોકોએ પ્રથમ દિવસે ભાવથી ભોજન કર્યું હતું,

આયોજકોનું માનવું છે કે જે ખરેખર જરૂરિયાતમંદ છે તેઓ કોઈ ની સામે હાથ ફેલાવી શકતા નથી ત્યારે આ તમામ હિય સ્વમાનભેર આવી ભરપેટ ભોજન કરી શકશે અને રાજપીપલા તથા આજુબાજુ ના દાતા ઓ દવારા અહીં જે કઈ સામગ્રી આવશે તે અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓ દ્વારા અહીં ભોજન બનાવીને આપવામાં આવશે અહીં પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા સ્વછતા ઉપર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

આ સેવાભાવી સંસ્થા દ્વારા લોક ભાગીદારી થી રોજના 200 થી 500 લોકોને એક ટાઈમ ભરપેટ ભોજન આપવામાં આવશે, આજે પહેલા જ દિવસે જરૂરિતા મંદોએ ભોજન કરી સંસ્થાનો આભાર માન્યો હતો, તેમજ દાતાઓ પણ અહીંજ ભોજન કરી સ્વાદ માણ્યો હતો, રાજ્યના અલગ અલગ ગામોમાં 16 જેટલા અન્ન ક્ષેત્ર ચાલુ કરી રાજપીપળા 17 માં અન્ન ક્ષેત્રમાં પોતાનું મહામૂલ્ય આર્થિક દાન આપવા જશુભાઈ શાહ મીઠાવાળા મોડાસાથી રાજપીપળા આવ્યા હતા, વયોવૃદ્ધ દતાં એવા જશુભાઈ શાહ મીઠાવાળા નાનપણમાં ઘણી ગરીબાઈ જોઈ હતી, માટે તેઓ વર્ષોથી ભુખ્યાને ભોજન મળે તે માટેની મુહિમ ચલાવી રહ્યા છે.