વાંસદા: આજરોજ વાંસદાના તાલુકા નવાનગર ગામમાં રહેતા સવિતાબેન ઠાકોરભાઈ જાદવને મુશ્કેલી સમયમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટલ વીમા યોજનાનો રૂપિયા 5 લાખ નો ચેક અપાવામાં આવતાં પરિવારમાં ખુશીની પળો આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ નવાનગર ગામમાં રહેતા સવિતાબેન ઠાકોરભાઈ જાદવ ની સુપુત્રી સ્વ હેતલકુમારી ઠાકોરભાઈ પટેલ કે જેઓ સાપુતારા ખાતે શિક્ષકની ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમણે પોસ્ટલ વીમો રૂપિયા 5 લાખનો લીધેલ હતો એક વર્ષનું પ્રીમીયમ 17 હજાર ભર્યા બાદ તેમનું દુખદ અવસાન થયેલ હતું તે અંતર્ગત આજરોજ ભારતીય ટપાલ વિભાગ નવસારી ડીવીઝનમાં વીમાના દાવાની રકમ રૂપિયા 5 લાખ 26 હજાર ચેક સવિતાબેન ઠાકોરભાઈ પટેલને આપવામાં આવ્યો અને તેનાથી પરિવાર પર આવેલ મુશ્કેલીમાં એક નાની સહાય મળી શકે છે.
ઇન્સ્પેકટર ઓફ પોસ્ટ ચીખલી સબડીવીઝન અંકુરભાઈ જોશીનું કહેવું છે કે એક નાની બાબત તમારા અને તમારા પરિવારને ભવિષ્યમાં આવતી આકસ્મિક મુશ્કેલીમાં કેટલી મદદરૂપ થાય છે તેનું આ એક ઉદાહરણ છે. આમ બધા ગામમાં લોકોને અપીલ છે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આપવામાં આવતાં પોસ્ટલ વીમા કે જેમાં ઓછું પ્રીમીયમ અને વધુ બોનસ મળે છે તેનો લાભ અવશ્ય લેવો જોઈએ.

