વલસાડ : અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ, અતુલ આર.એન.સી. ફ્રી આઇ હોસ્પિટલ, વલસાડ અને લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા સંયુકત ઉપક્રમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલધા ગામે મફત નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં સિલ્ધા સહિત 7 કરતા વધારે ગામના લોકોને આ મેડીકલ કેમ્પનો લાભ મળ્યો હતો, જેમાં 297 કરતા વધુ દર્દીઓ નોંધાયા હતા.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ કેમ્પમાં ગામના સરપંચ વિણાબેન નરેન્દ્રભાઇ જોગરા, ડેપ્યુટી સરપંચ મીનાબેન, તાલુકા વિપક્ષ નેતા ઈશ્વરભાઈ તુમડા, સિલધા પ્રા.શાળાના મુખ્ય શિક્ષક પંકજ પટેલ, શિક્ષક મહેશ ગાંવિત, ગામના આગેવાન અમૂલભાઈ, યોગેશભાઈ, જાનુભાઈ સહિત ઉપસ્થિત રહયા હતા.

ગામના સરપંચ એ જણાવ્યું હતું કે, અમારા ગામમાં મફત નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન થયું, જેનાથી અમારા ગામ સહિત આસપાસના ગામોને પણ આંખ તપાસ કરી નંબર જણાય તેમને તપાસ કરી ચશ્મા અને મોતિયા હોઇ તેમને ઓપરેશન કરાવી આપવાની વ્યવસ્થા કરી આપવા આવ્યો છે જેનો લાભ મળ્યો હતો, અમારા વિસ્તારમાં આવા મેડીકલ કેમ્પ ભવિષ્યમાં પણ થતાં રહે અને અમારા વિસ્તારના લોકોને મેડીકલ કેમ્પનો લાભ મળતો રહે એ માટે અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અતુલ આર. એન. સી. ફ્રી આઇ હોસ્પિટલ વલસાડ અને લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ આવા કેમ વખતો કરતા રહે એવી આશા રાખીએ છીએ.