આજે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા અને સત્તાધારી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ બે માંથી15માં નવા રાષ્ટ્રપતિ કોણ હશે 11 વાગ્યે સંસદભવનમાં મતગણતરી શરૂ થશે અને ત્યાર બાદ તેની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવશે.
આ ચુંટણીમાં ઘણા પક્ષોના ધારાસભ્યોએ કોઈપણ માહિતી આપ્યા વિના ક્રોસ વોટિંગ કર્યું છે. જો દ્રૌપદી મુર્મુ સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર દેશની પ્રથમ આદિવાસી મહિલા હશે. જ્યારે યશવંત સિન્હા દેશને ગૌરવ આપવવા સૌથી બેસ્ટ માનવામાં આવી રહ્યા છે નવા રાષ્ટ્રપતિની શપથ ગ્રહણ 25 જુલાઈએ યોજાવાની નક્કી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 4,809 લોકો મતદાન કરે છે, જેમાં 776 સાંસદો અને 4,033 ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. નામાંકિત સાંસદો અને ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો ચૂંટણીમાં મતદાન કરતા નથી. આ ચૂંટણીઓ માટે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તેઓ મત ગણતરીની દેખરેખ રાખશે. સાંજ સુધીમાં પરિણામ આવવાની આશા છે.

