ધરમપુર: આદિવાસી લોકોની સમસ્યામાં એક સાથે ત્યાં તેર તૂટે વાળો ઘાટ છે ? આજરોજ ધરમપુરમાં RFO હિરેન પટેલ સાથે પીરમાંળ અને ટીટુખડક ગામની જંગલ જમીનની હદ નક્કી કરવા બાબતે માજી સરપંચશ્રી જનસભાઈ અને ગામના સ્થાનિક આગેવાનો સાથે કલ્પેશ પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી.
કલ્પેશ પટેલ Decision News સાથે વાતચીત કરતાં જણાવે છે કે RFO કામ અર્થે બહાર ગયા હોવાથી તેમણે ટેલિફોનિક વાતચીત કરીને રજૂઆત કરવામાં આવી જે મુદ્દે RFO બાંહેધરી આપી છે કે આ અનુસંધાનમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પણ વખત દરમિયાન અમે જ્યારે રજૂઆત કરવા જઈ રહ્યા હતાં ત્યારે એક પરેશ નામનો વ્યક્તિ મારી સાથે આવેલ આદિવાસી ભાઈને કહે છે કે (આ લંઘર કાથી આવી હે કયા ગામની લંઘર છે)જેવા શબ્દો વાપરે છે જેથી એ પરેશ નામના વ્યક્તિને એનિજ ભાષામાં જવાબ આપવામાં આવ્યો અને બાદમાં એણે એની ભૂલ સમજતા એને માફી પણ માંગી હતી.
તેઓ વધુમાં કહે છે કે મારે એવા આદિવાસી વિરુદ્ધ ટીપણી કરવા વાળાને કહેવું છે કે ભાઈ અમે આ દેશના માલિકો છીએ અમારા સમાજના લોકો કોઈપણ સમાજ વિશે કાઈ ખોટા શબ્દો નથી બોલતા તો પાછી ફક્ત આદિવાસી સમાજ ને જ કેમ ટાર્ગેટ કરો છો. મારી સ્પષ્ટ ચેતવણી છે કે આદિવાસી સમાજ પર કોઈ પણ જાતની ટિપ્પણી આદિવાસી સમાજ ને સ્વીકાર્ય નથી જેની નોંધ લેવી.

