સુરત: આજકાલ નાની નાની અમથી વાતોમાં વિધાર્થીઓ વગર વિચાર્યે આપઘાત કરી રહ્યા છે ત્યારે સુરતમાં ધોરણ 10માં ભણતાં એક વિદ્યાર્થીને કાકાએ ઠપકો આપતાં તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
પ્રાથમિક જાણકારી અનુસાર શહેરના નાના વરાછામાં આવેલી પશુપતિનાથ સોસાયટીમાં પોતાના માતા-પિતા સાથે રહેલા 16 વર્ષના મૃતક મૌનિકે તાજેતરમાં જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તેના પિતા દિલીપભાઈ મંદિર બનાવવાનું કામ કરે છે. મૃતક પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં મૌનિકે લખ્યું છે કે, કાકીને ફોન કરવા બાબતે કાકાએ તેને ઠપકો આપ્યો હતો. વધુમાં લખ્યું છે કે, કાકાને મારા વિશે ખોટી શંકા હતી.
આ બાબતે કાકાએ ઠપકો આપતા મૌનિકે રસોડામાં જઈ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી નાંખ્યું છે. હાલમાં પોલીસ તેના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે

