વાંસદા: મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થળ શિરડી પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનુ હાલમાં જ દુબઈથી ધરપકડ કરાયેલા આતંકીની પૂછપરછ દરમિયાન આ તેમના દ્વારા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનના આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આતંકવાદી જે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે તેનું નેટવર્ક પાકિસ્તાનમાં છે. આતંકવાદીઓની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે શિરડીના વતની અને હાલ દિલ્હીમાં એક હિન્દી ન્યૂઝ ચેનલના સંપાદકના ઘર અને ઓફિસ પર પણ રેકી કરી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ ગુજરાત ATSએ આતંકવાદીઓ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે. આ પહેલા પણ શિરડી સંસ્થાનને ઘણી વખત ધમકીભર્યા કોલ અને મેઈલ આવ્યા છે.

હાલમાં પકડાયેલા તમામ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ નવા ષડયંત્રના ખુલાસા બાદ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.