સાગબારા: ગતરોજ આમ આદમી પાર્ટી સાગબારા તાલુકા ના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રીએ અગામી જાહેરાતોમાં પેપર ફૂટવાની ઘટના ન બને એ માટે સરકારને ગેરેન્ટી આપવા અને જવાબદારી સ્વીકારવામાં આવેદનપત્ર આપ્યું હતું.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રી જણાવ્યું કે તારીખ 27/01/2022 ના રોજ ગુજરાતભરમાં “તલાટી કમ મંત્રી” ની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવેલ છે. પરંતુ ગુજરાતમાં છેલ્લી ઘણી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાના બનાવો બનતા આવ્યા છે, જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા અને નોકરીની રાહ જોતા વિદ્યાર્થીઓના ભાવિને નુકશાન પોહચે છે. સાથે સાથે પરિક્ષાર્થીઓ પાસે થી ફી તેમજ વાહન ભાડા પેટે કરોડો રૂપિયા ઉઘરાવીને જાણે કે સરકાર દ્વારા ભંડોળ ઉભું કરી લેવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, જેથી પરિક્ષાર્થીઓનું ભવિષ્યના ડોહળાય છે, તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ” ગુજરાત સરકાર પેપરના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે” અને જો પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવશે એવી જવાબદારી લે જે બાબતે આજ રોજ સાગબારા મામલતદારશ્રીને આવેદનપત્ર અપાયું હતું.
જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી ડૉ. કિરણ વસાવા, આમ આદમી પાર્ટી સાગબારા તાલુકા પ્રમુખ મહેશભાઈ પાડવી, આમ આદમી પાર્ટીનાં જિલ્લા ઉપપ્રમુખ શ્રીરાજભાઈ , ડેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્રભાઇ વસાવા, સાગબારા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન વસાવા તેમજ આમ આદમી પાર્ટીનાં તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
BY ચિરાગ તડવી











