બીલીમોરા: આજરોજ બીલીમોરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ભવનમાં બીલીમોરા આદિવાસી સમાજ ટ્રસ્ટ દ્વારા આદિવાસી ક્રાંતિકારી જન નાયક ભગવાન બિરસા મુંડાની ૧૪૬મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિર, રંગોળી સ્પર્ધા, વેસ્ટ માંથી બેસ્ટ એમ અલગ અલગ સ્પર્ધાઓ રાખીને ઉજવણી કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આદિવાસી આગેવાનો અને યુવાનોની ઉપસ્થિતિમાં બીલીમોરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ભવનમાં બીલીમોરા આદિવાસી સમાજ ટ્રસ્ટ દ્વારા આદિવાસી ક્રાંતિકારી જન નાયક ભગવાન બિરસા મુંડાની ૧૪૬મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિર, રંગોળી સ્પર્ધા, વેસ્ટ માંથી બેસ્ટ એમ અલગ અલગ સ્પર્ધાઓ રાખીને મનાવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત મેહમાન તરીકે બીલીમોરા નગરપાલીકા પ્રમુખ શ્રીમતી વિપુલાબેન મિસ્ત્રી, ઉપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પાર્વતીબેન પટેલ, નવસારીજિલ્લા પંચાયત સભ્ય પરીમલભાઈ પટેલ, ગણદેવીતાલુકા પંચાયત સભ્ય હર્ષિલભાઈ નાયક, સંજયભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, આદિજાતિ મોર્ચા મહામંત્રી હર્ષદભાઈ પટેલ અશ્વિનભાઈ નાયકા, આદિવાસી સમાજના આગેવાન અશોકભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, સુમનભાઈ, નવનીતભાઈ, શંકરભાઈ, કિરણભાઈ પટેલ તથા આદીવાસી સમાજના યુવા મિત્રો ભેગા મળીને કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.