કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે મહાન ક્રાંતિવીર, જનનાયક, ધરતી આબા બિરસા મૂંડાના જન્મદિવસની રેલી તથા તેમના વિચારોની ચર્ચા-વિચારણા કરી મહાન વિભૂતિના સમાજ ઉત્થાનની વિચારધારા પર આગળ વધવાના માટે યુવાનો કટીબદ્ધ થયા છે.

ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ જોતા આપણે સ્વતંત્ર ભારત દેશમાં આઝાદીનાં 71 વરસ પછી પણ દરેક આદિવાસી તરીકેની ઓળખ ભૂંસી નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો આદિવાસી તરીકેની આગવી સંસ્કૃતિ અને ઓળખ આપણે નહિ સાચવીએ તો આવનારા દિવસોમાં આપણા માટે બહેતર નહિ હોય એ નક્કી છે માટે આપણે આપણું આદિવાસિયત પણું સાચવાની હાકલ કરવામાં આવી હતી.

આજના પ્રંસગે જયેન્દ્ર ગાવીત, હરેશભાઇ પટેલ કુંજલી બેન પટેલ, ગણેશભાઈ ભાસ્કર, સિગાડે મહેશ ભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સાથે વડીલોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી અને આ કાર્યક્રમને આદિવાસી વાદ્યો અને નાચગાન સાથે પુર્ણાહુતી તરફ લઇ જવાયો હતો.