પાલઘર: ગતરોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના 90 વર્ષીય આદિવાસી સમાજના કલાકાર ભિકલ્યા લાડક્યા ધિન્ડાને કલાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ વર્ષ 2026ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વારલી સમુદાયના પરંપરાગત વાદ્ય ‘તારપા’ વગાડવામાં નિષ્ણાત એવા ભિકલ્યા ધિન્ડા છેલ્લા 80 વર્ષથી વધુ સમયથી આ પ્રાચીન લોકકલાને જીવંત રાખવા અવિરત પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ 400 વર્ષ જૂના પારિવારિક વારસાને આગળ ધપાવતા આવ્યા છે. વિશેષ વાત એ છે કે ભિકલ્યા જી પોતે જ વાંસ અને સૂકી દૂધીમાંથી તારપા વાદ્ય તૈયાર કરે છે અને સાથે સાથે નવી પેઢીને આ કલાની તાલીમ પણ આપી રહ્યા છે.

તેમનો જીવનસમર્પણ આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રચાર માટેનું ઉત્તમ ઉદાહરણ છે. પદ્મશ્રી જેવો સર્વોચ્ચ નાગરિક સન્માન મળવું એ તેમની વર્ષોની સાધના તેમજ આદિવાસી લોકકલા અને સંસ્કૃતિના જતન માટે દેશ દ્વારા આપવામાં આવેલ સાચું માન છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here