વાંસદા: ચક્રવાત વાવાઝોડાના તીવ્ર પવનોએ નવસારી જિલ્લાને ઘેરી લીધા, ત્યારે વાંસદા તાલુકાના સીનધઈ ગામમાં વિનાશનું મેઘાચ્છન વરસ્યું. આદિવાસી વિસ્તારમાં, જ્યાં પહેલેથી જ જીવનની મુશ્કેલીઓ વધુ હોય છે, ત્યાં તોફાને વૃક્ષો ઉખળાવી નાખ્યા, ઘરોના પતરાં ઉડાવી દીધા, અને વીજળી-પાણીની સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું. ગામના ઘણા પરિવારોના માથા ઉપરથી છતો ઉડી ગઈ, અને લોકો તોફાનમાં ભય અને ભૂખનો સામનો કરવા લાગ્યા. આવી કાળી રાત્રિમાં, વાંસદા-ચીખલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનંત પટેલ માનવતાના દીપક બન્યા

અનંત પટેલે વિસ્તારના લોકોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનું કામ હાથ લીધું. અનંતભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના સમર્પિત આદિવાસી નેતા તરીકે ઓળખાય છે, તેમણે આ આફતને પોતાની વ્યક્તિગત જવાબદારી તરીકે લીધી. તોફાનની તીવ્રતા ઘટતાં જ, તેઓ પોતાની ટીમ અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સીનધઈ ગામમાં પહોંચી ગયા. તેમણે જોયું કે આદિવાસી પરિવારોના ઘરોના પતરાં ઉડી ગયા હતા, વૃક્ષોના રસ્તા પર ધરાસાઈ થઇ પડયા હતા અને લોકો વિના આશ્રયે વલખાં મારી રહ્યા હતા. અનંતભાઈએ તરત જ રાહત કાર્ય શરૂ કર્યું – પહેલા તો ઘરોના પતરાં ઉતરી આવેલા પરિવારોને તાત્કાલિક પ્લાસ્ટિક શીટ્સ પૂરી પાડી, જેથી લોકો ઠંડી અને વરસાદથી બચી શકે.

“આ મારા ગામના લોકો છે, તેમની મુશ્કેલી મારી મુશ્કેલી છે,” એમ કહીને તેમણે ગામના લોકોને હિંમત આપી. એટલું જ નહીં, અનંતભાઈએ ગામમાં ગરમ ભોજન – રોટલી, શાક અને દાળ લોકોને પોહ્ચાડ્યું તેમની સાથે બેસી વાતો સાંભળીને માનસિક સમર્થન આપ્યું.

એક ગામની આદિવાસી મહિલાએ Decision News સાથે વાત કરતાં કહ્યું કે, “વાવાઝોડાએ અમારું ઘર તોડી નાખ્યું, પણ અનંતભાઈએ અમને નવું જીવન આપ્યું. તેઓ રાત્રે પણ ગામમાં રહ્યા, અમને મદદ કરી, અને કહ્યું કે ‘આપણે સાથે છીએ’.” અનંતભાઈએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરીને વધુ રાહત સામગ્રી મેળવી, વૃક્ષો અને કચરાને સાફ કરવા માટે સ્વયંસેવકોની ટુકડીઓ બનાવી, જેથી ગામના રસ્તાઓ ફરીથી ખુલ્લા થઈ શકે.

અનંત પટેલનું આ વલણ માત્ર એક ધારાસભ્યનું નહીં, પરંતુ એક સાચા આદિવાસી સેવકનું હતું. તેઓએ કહ્યું, “વિપત્તિમાં રાજકારણ નહીં, માત્ર માનવતા જ કામ આવે છે.” સીનધઈ ગામના લોકો આજે પણ તેમની આ સેવાને યાદ કરે છે, જેમણે તોફાન પછીના દુઃખમાં આશાનું કિરણ જગાડ્યું. હાલમાં સીનધઈ ગામ મુશ્કેલીમાંથી ધીમે ધીમે બેઠું થઇ રહ્યું છે ત્યારે અનંતભાઈનું નામ હવે માનવતા અને સેવાના કાર્યો થાકી લોકોના દિલમાં અંકિત થઇ રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here