ડેડિયાપાડા: કોઈ માટે ઉભી થયેલી શંકા હત્યા કરવા કે કરાવવા સુધી જઈ શકે છે તેનું ઉદાહરણ ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામમાંથી સામે આવ્યું છે માતા સાથે આડાસંબંધની શંકા રાખી પુત્ર દ્વારા આધેડને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision News ને આજથી ત્રણ દિવસ પહેલાં 26 જુનના રોજ રાત્રે ડેડીયાપાડાના ઉમરાણ ગામમાં રહેતા મનિષ ઉર્ફે મનિયો ગોકુલ વસાવા નામના યુવાને 8થી 9 વાગ્યાની આજુબાજુ ગામમાં જ રેહતા વિજય દેવજીભાઈ વસાવાની હત્યા કરી નાખી હતી મનીષને શંકા હતી કે તેની માતા સાથે વિજયભાઈનો આડો સંબંધ છે. મનિષે દવાખાનાના પગથીયા ઉપર જ વિજયભાઈ ચપ્પુના ઘા ઝીંકી રામ રમાડી દીધા હતા.

સ્થાનિકો સાથે વાતચીતમાં જણાવા મળ્યું કે ગામના સરકારી દવાખાના પાસે મનીષનો અને વિજયનો આડા સંબધની શંકાને લઈને ઉગ્ર ઝઘડો થયો અને મનીષે ગુસ્સામાં આવી વિજયને ચપ્પુથી ગળા અને પેટના ભાગે ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યો અને વિજય જગ્યા પર જ ઢળી પડ્યો અને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. હાલમાં મનીષ જેલના સળિયા પાછળ ધકેલાયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here