ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના આમધરા ગામ ખાતે લોકસભાના દંડક અને વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલ પટેલની ઉપસ્થિતિમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ખરેરા નદી પરના આશરે રૂ. 10 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે પ્રજાની તકલીફને સમજીને તેના નિવારણરૂપ વિવિધ યોજનાઓ ઘડી ગ્રામ્યજીવન માટે વિકાસનો મોકળો માર્ગ પ્રદાન કર્યો છે ત્યારે આ બ્રિજ પીપલગભાણ, આમધરા, મોગરાવાડી, ધોલાર, રૂમલા ગામોની આશરે 24 હજારથી વધુ વસ્તીને વાહનવ્યવહાર માટે સરળતા પ્રદાન કરી ગ્રામ્યજીવનનો વિકાસ માર્ગ પ્રશસ્ત કરશે.
કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રી ભરતભાઇ પટેલ, જિ. પં. પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો અને ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

