દક્ષિણ ગુજરાત: વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થયાને લઈને BS9 TV NEWS પોતાના અહેવાલમાં જણાવ્યું કે ગોપાલ ઈટાલિયાની જીત પાછળ 6 મુખ્ય ચહેરાઓનો મહત્વનો હાથ રહ્યો છે. આદિવાસી નેતા ચૈતર વસાવાને ચાય માંથી માખી ને જેમ કાઢી ફેકી દેવામાં આવે તેમ ગોપાલ ઈટાલીયાની જીતમાં મહત્વનો ભાગ ભજવનારા આદિવાસી નેતા ચૈતર વસાવાને ફેકી દેવામાં આવ્યો છે બોલો..

ગોપાલ ઈટાલીયા ભલે ચુંટણી 17 હજાર માતોથી જીતી ગયા હોય પણ આમ આદમી પાર્ટીમાં આદિવાસી લીડર ધારાસભ્ય ચૈતર વસાવા, વલસાડ જિલ્લા પ્રભારી કમલેશ પટેલ જેવા કેટલાંય આદિવાસી આગેવાનોએ જે પ્રચાર પ્રસારમાં રાત દિવસ એક કર્યા તેની કદર થઇ નથી. શું આદિવાસી આગેવાનો ઝંખ મરાવતા હતા. હંમેશા એમ કેમ થાય છે કે મહેનત કરવાની હોય ત્યારે આદિવાસી કાર્યકર્તા કે આગેવાનો કે નેતાઓ આગળ પડતા હોય છે પણ જ્યારે જીતમાં ભાગીદાર બનાવવાનું હોય ત્યારે આદિવાસીઓને સ્થાન પણ અપાતું નથી.

લોકો માંગ કરી રહ્યા છે કે ચૈતર વસાવા સાહેબ આ મુદ્દે પાર્ટીના શીર્ષ નેતૃત્વને સવાલ કરે કે ક્યાં સુધી આમ આદિવાસી આગેવાનોના પરિશ્રમને નજર અંદાજ કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતને આદિવાસી સમાજના નામનાપ્રદ નેતા ચૈતર વસાવાને જો આવી રીતે ઇગ્નોર કરવામાં આવતા હોય તો આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર્તાનું શું કિંમત ?  ગ્રામીણ સ્તરે કાર્યકર્તા ખાસ્સા નારાજ જોવા મળી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here