ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધો.

વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.એ.તુવરની ટીમને બાતમી મળેલ કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોબીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વિરેન્દ્રસિંહ રાજપુત રહે.રાજસ્થાન હાલ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જોવામાં આવેલ છે.

Decision news ને મળેલી માહિતી મુજબ આ આરોપી નાસતો ફરતો હોય નામદાર ભરૂચ કોર્ટ દ્વારા ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબ તેનુ ધરપકડ વોરન્ટ પણ ઇસ્યુ કરેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરીને સદર આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here