વિસાવદર: ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તારની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલું આ પ્રમાણપત્ર હું મતવિસ્તારની જાહેર જનતાને અર્પણ કરું છું અને જનતાનો આભાર વ્યક્ત કરું છું. આ પંથકની મહેનતું અને બળુકી જનતાના સ્વયંભુ સપોર્ટ વગર વિસાવદરની ચૂંટણીમાં જીતવું અશક્ય હતું. એક તરફ આખી સરકાર, આખી પાર્ટી, ગુંડાઓ, બુટલેગરો, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પૈસાની શક્તિ કામે લાગી હતી, જ્યારે બીજી તરફ આ પંથકના લોકોએ સ્વયંભૂ મોરચો સંભાળ્યો હતો.

જનતા પોતે જ્યારે ચૂંટણીનો મોરચો સંભાળે ત્યારે ભલભલી તાકાતનું કશું જ ઉપજતું નથી. વિસાવદર જનતાએ ગુજરાતની જનતાને એક સંદેશ આપ્યો છે કે, જો જનતા પોતાનો મુદ્દો પકડી રાખે તો ગમે તેટલી મોટી સત્તાને પણ હરાવી શકાય છે. વિસાવદરની જનતાએ ખેડૂત, ખેતી, ઈકો ઝોન, સહકારી મંડળી, ટેકાના ભાવ સહિતના મુદ્દા ઉપર મતદાન કર્યું છે. ભાજપ પક્ષે મુદ્દાઓ ભટકાવવા માટે ખુબ મોટી તાકાત કામે લગાવી હતી પરંતુ જનતાએ પોતાનો મુદ્દો છેલ્લા દિવસ સુધી ન છોડ્યો ત્યારે પરિણામના દિવસે જનતા જીતી.

મારી ઈચ્છા છે કે, ગુજરાતના યુવાનો આગળ આવે, ડર છોડીને અને આળસ ખંખેરીને રાજનીતિના મેદાનમાં પોતાનું કૌવત બતાવે એવી વિનંતી છે. આપણે સૌ યુવાનો સરકારની લાચારી છોડી અને આપણા મુદ્દા ઉપર ફાઈટ આપીશું તો નિશ્ચિત આપણો વિજય થશે. મારા સંઘર્ષના દિવસોથી લઈને સફળતા સુધીની સફરમાં ડગલેને પગલે મને સાથ, સમર્થન અને માર્ગદર્શન આપનાર સૌ મિત્રો, કાર્યકર્તાઓ, શુભચિંતકો, કુટુંબીજનો સહિત સમગ્ર ગુજરાતની જનતાનો હું આભારી છું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here