નવસારી: નવસારીમાં 11માં વિશ્વ યોગ દિવસની ઉજવણી રામજી મંદિર ખાતે ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
Decision news ને મળતી માહિતી પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહીં. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
UNOએ યોગને વૈશ્વિક સ્તરે માન્યતા આપ્યા બાદ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. નવસારી જિલ્લામાં લાખો લોકોએ નિરોગી રહેવા માટે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને DDO ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને આંગણવાડીની મહિલાઓએ નિષ્ણાત યોગ શિક્ષકોના માર્ગદર્શનમાં વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો.

