ભરૂચ:પોલીસ મહાનિર્દેશકશ્રી, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતેગુજરાત રાજ્ય,”જેલ ભવન”, અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આજ તા.21/06/2025 ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે ઇ.ચા.અધિક્ષકશ્રી એન.પી.રાઠોડના નેતૃત્વ હેઠળ યોગ ટીચર, યોગ બોર્ડ તરફથી શ્રી નટવરસિહ રાજપુત અને શ્રીમતિ માધવી શાહ હાજર રહી.
Decision news ને મળતી માહિતીગુજરાત સરકાર અને આર્ટ ઓફ લીવીંગ તરફથી ચાલી રહેલ “યોગ વિશે જનજાગૃતિ” મુહિમ હેઠળ તમામ અધિકારી/કર્મચારી તથા તમામ બંદિવાનોને યોગનું મહત્વ સમજાવી યોગ,પ્રાણાયામ અને ધ્યાન ક્રિયા કરાવવામાં આવેલ છે.
યોગ કાર્યક્રમમાં અત્રેની જેલના તમામ બંદિવાનો તેમજ ફરજ પરના તમામ અધિકારી/કર્મચારીઓ ઉત્સાહ પુર્વક ભાગ લીધેલ હતો. સાથે-સાથે તમામ અધિકારી/કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાન હેઠળ જેલ પ્રિમાઇસિસની અંદર 01 (એક) કલાક માટે શ્રમદાન કરી સાફ-સફાઇ હાથ ધરવામાં આવેલ હતી.

