કાશી: મોરારી બાપુનો વિવાદ હજુ થમવાનું નામ નથી લઈ રહ્યો છે કાશીના સંતોમાં મોરોરી બાપુ પ્રત્યેનો વિરોધ વધી રહ્યું છે ત્યારે કાશી વિરક્ત સંત સમાજના મહામંત્રી ડૉ. શ્રવણદાસ મહારાજે નિવેદન આપ્યું છે મોરારી બાપુ વ્યાસ ગાદી પર બેઠા બેઠા જૂઠું બોલી રહ્યા છે.

શ્રી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના છે અને તેઓ સૂતકનું પાલન કરતા નથી, આ સંપૂર્ણપણે ખોટું છે. વૈષ્ણવ સંપ્રદાયના લોકો સૂતકનું પાલન કરે છે અને જે સૂતકનું પાલન કરે છે તેણે કોઈ શુભ કાર્ય ન કરવું જોઇએ. મોરારી બાપુ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે.

તમને યાદ તો હશે જ મોરારી બાપુ દક્ષિણ ગુજરાતમાં ધર્માતરણને લઈને આદિવાસી ખ્રિસ્તી અને આદિવાસી હિન્દુ વચ્ચે ભેદભાવ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હવે આદિવાસી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે હવે મોરારી બાપુ પોતે જ હિન્દુ શાસ્ત્રોનું અપમાન કરવા લાગ્યા છે પણ કાશીના સંતો તેમને બરાબર પાઠ ભણાવશે એમને છોડશે નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here